An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 3 : Verse 11

 

अथेन्द्रमब्रुवन्मघवन्नेतद्विजानीहि किमेतद्यक्षमिति ।

तथेति तदभ्यद्रवत्तस्मात्तिरोदधे ॥११॥

 

અર્થઃ

અથ - એ પછી

ઇન્દ્રમ્ - ઇન્દ્રને

અબ્રુવન્ - દેવોએ કહ્યું

મઘવન્ - હે ઇન્દ્રદેવ !

એતત્ - એ વાતને

વિજાનીહિ - જાણી લો

એતત્ - આ

યક્ષમ્ - યક્ષ

કિમ્ ઇતિ - કોણ છે. (ત્યારે ઇન્દ્રએ કહ્યું)

તથા ઇતિ - સારું

તત્ અભ્યદ્રવત્ - એ યક્ષ પાસે પહોંચ્યા. (પરંતુ યક્ષ)

તસ્માત્ - એમની આગળથી

તિરોદધે - અદૃશ્ય થઇ ગયો.

 

ભાવાર્થઃ

દેવો નિરાશ થઇને પાછા પડે તેવા ન હતા. યક્ષની માહિતી મેળવવાનો તેઓ નિર્ણય કરી ચુકેલા. એટલે એમણે એમના અધીશ્વર ઇન્દ્રને એ કામ સોંપ્યુ. ઇન્દ્રને થયું કે હું તો મારી સવિશેષ શક્તિથી યક્ષનું રહસ્યોદઘાટન કરીશ જ. એમને સ્વાભાવિક રીતે એમની શક્તિનું અભિમાન હતું. પરંતુ એ અભિમાન પર કઠોર કુઠારાઘાત કરતો હોય તેમ, યક્ષ એમની આગળથી, એ પાસે પહોંચે એ પહેલાં જ અદૃશ્ય થયો. બીજા દેવોની સાથે તો એણે વાર્તાલાપ પણ કર્યો, પરંતુ એમના અધિપતિને વાર્તાલાપનો અવસર પણ ના આપ્યો. એ જોઇને ઇન્દ્રને વિસ્મય થયો.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer