An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 4 : Verse 01

 

सा ब्रह्मेति होवाच ब्रह्मणो वा एतद्विजये ।

महीयध्वमिति ततो हैव विदाञ्चकार ब्रह्मेति ॥१॥

 

અર્થઃ

સા - એ દેવીએ

હ ઉવાચ - સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે

બ્રહ્મ ઇતિ - એ તો પરમાત્મા પોતે જ છે.

બ્રહ્મણઃ વૈ - એ પરમાત્મા જ

એતદ્વિજયે - એ વિજયમાં

મહીયધ્વમ્ ઇતિ - તમે સૌએ તમારો મહિમા માની લીધેલો.

તતઃ એવ - એ કથનથી જ

હ - નિશ્ચયાત્મક રીતે

વિદાંચકાર - (ઇન્દ્રે) સમજી લીધું (કે)

બ્રહ્મ ઇતિ - યક્ષ બ્રહ્મ છે.

 

ભાવાર્થઃ

ઇન્દ્રની પ્રાર્થના પ્રત્યુત્તરરૂપે ભગવતી બ્રહ્મજ્ઞાન સ્વરૂપ ઉમાદેવીએ જણાવ્યું કે પરમાત્મા પોતે જ એ યક્ષના સ્વરૂપે પ્રકટ બનેલા. અસુરો સાથેના યુદ્ધમાં એમની શક્તિ તથા કૃપાથી જ તમે વિજયી બનેલા. પરંતુ એમના મહિમાને શ્રદ્ધાભક્તિપૂર્વક સમજીને એ વિજયનો યશ એમને આપવાને બદલે, મિથ્યાભિમાનથી પ્રેરાઇને એ વિજયને તમે તમારો માની બેઠા. એમના મહિમાને તમે અજ્ઞાનને લીધે તમારો જાણ્યો. એમને લીધે તો તમારું ને સમસ્ત સંસારનું અસ્તિત્વ છે, અને એમને લીધે જ સૌ કોઇ કાર્ય કરી શકે છે. છતાં તમે એ હકીકતને ભૂલી ગયા. એટલે તમને એ મિથ્યાભિમાનમાંથી મુક્ત કરવા માટે એમણે યક્ષનું રૂપ લઇને તમારી અલ્પતાનું ભાન કરાવ્યું. હવે એમના મહિમાને જાણી લો.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer