An authoritative treatise in Gujarati on

 

Upanishads

 

With Sacred text, its Gujarati translation and meaning

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

केनोपनिषद ॥

     
   
< BACK

  < Kena Upanishad >

NEXT >

CHAPTER 4 : Verse 06

 

तद्ध तद्वनं नाम तद्वनमित्युपासितव्यं स य ।

एतदेवं वेदाभि हैनँ सर्वाणि भूतानि संवाञ्छन्ति ॥६॥

 

અર્થઃ

તત્ - તે પરમાત્મા

તદ્વનમ્ - (સૌના પ્રિય અથવા પ્રાપ્ય હોવાથી) તદ્વન

નામ હ - નામથી પ્રસિદ્ધ છે. (એટલા માટે)

તદ્વનમ્ - એ સૌના પરમપ્રિય અને સૌની કામનાના કારણ છે.

ઇતિ - એવું માનીને

ઉપાસિતવ્યમ્ - એમની ઉપાસના કરવા જોઇએ.

સઃ યઃ - જે પણ સાધક

એતત્ - એમને

એવમ્ - એવી રીતે (ઉપાસીને)

વેદ - જાણી લે છે.

એનમ્ હ - એને નિશ્ચયપૂર્વક

સર્વાણિ - સઘળાં

ભૂતાનિ - પ્રાણી

અભિ - બધી બાજુથી કે સર્વપ્રકારે

સવાંછતિ - હૃદયથી ચાહે છે, અથવા એ સર્વનો પ્રિય બની જાય છે.

 

ભાવાર્થઃ

એ પરમાત્માને અહીં એક અવનવા તદ્વન નામે ઓળખવામાં આવ્યા છે. એ નામનું રહસ્ય પણ બતાવવામાં આવ્યું છે. પરમાત્મા કરતાં વધારે સમીપ અને પ્રિય સંસારમાં બીજું કોઇ જ નથી. બીજું કશુંક જો જરાપણ પ્રિય અથવા પ્રેમાસ્પદ લાગતું હોય તો પરમાત્માને લીધે જ લાગે છે. માનવમાત્ર એક અથવા બીજી રીતે એમને જ ચાહે છે, અને પામવાના પ્રયત્નો કરે છે. એ જ પરમ સુખરૂપ, શાંતિરૂપ અને આનંદ છે. સૌના, સમસ્ત જડચેતનાત્મક જગતના જીવન પણ એ જ છે. એવું સમજીને એમની ઉપાસના કરવાથી સર્વપ્રકારે લાભ થાય છે. માનવ એમને ઓળખીને એમનામય બની જાય છે. પરમાત્માની પરમકૃપાની પ્રાપ્તિ કરનારા એ સાધકને જગતના બધા જીવો પ્રેમની નિર્મળ નજરે નિહાળે છે. કોઇને એનો ભય લાગતો નથી. એનાથી કોઇને હાનિ નથી પહોંચતી. સૌની સાથે એ અખંડ આત્મીયતાનો અનુભવ કરે છે.

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'ઉપનિષદનો અમર વારસો' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer