પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

ભ્રમર ને ફુલ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

ફૂલવાડીમાં ફોરમનો સ્વાદ લેતાં એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડી રહેલા ભ્રમરને એક સુંદર ને સુવાસિત ફૂલે કહ્યું, તું તો ચંચળ છે. એક ઠેકાણે સ્થિર જ નથી રહેતો. કોઈની તો માયા કર; કોઈના કાળજામાં તો કેદ થા; કે કોઈની પાછળ તો પાગલ બન. ખરેખર તું ચંચળ છે !

 

ભ્રમરે કહ્યું : જગત આખું ચંચળ છે, પરિવર્તનશીલ છે. એમાં કોની માયા ને કોની સાથે મમતા ? એ જ્ઞાન લાધ્યું છે ત્યારથી હું એક ઠેકાણે ઠરીને નથી બેસતો, કે ક્યાંય કેદ નથી બનતો. મને ના સમજનારા મને ચંચળ કહે છે. પણ રસિકતા લઈને ફરવું ને કેદ ના થવું, એમાં કાંઈ ઓછા મનોબળની જરૂર નથી પડતી.

 

ફૂલનો ભાવ એ ભ્રમર માટે વધી પડ્યો. એની દૃષ્ટિ જ બદલાઈ ગઈ.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer