પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

સફરનું સાર્થક્ય

     
   
< BACK

પરિમલ

NEXT >
 

પૃથ્વીના આ પુણ્યપ્રવાસે નીકળ્યો છું ત્યારે, પથ પર પગલાં પાડતાંની સાથે જ, અનેક અવનવી વસ્તુનું મેં દર્શન કર્યું. ને જેમ જેમ પ્રવાસ આગળ વધતો ગયો, ને પંથ કપાતો ગયો તેમ તેમ, આનંદદાયક, અલૌકિક અને આશ્ચર્યમાં નાંખી દેનારી, બીજી કેટલીક વ્યક્તિ તથા વસ્તુનો મને સુખદ સમાગમ થયો.

 

એ બધાને લીધે મહીમંડળની મારી મહાયાત્રા મધુમય બની ને સફળ થઈ છે. જીવન મારે માટે રસાળ ને અનેરું બન્યું છે, ને જીવવા જેવું થયું છે.

 

પરંતુ જે એક વસ્તુથી એ કૃતાર્થ થઈ શક્યું છે ને સુધાસમું બન્યું છે, ને જેના વિના એની કીમત કોડીની પણ ના હોત, તે તો તમે છો. તમારો પ્રેમ ને મેળાપ મારા જીવનમાં સુવર્ણાક્ષરે ને સદાને સારું અંકિત થઈ ચુક્યો છે, ને અનેકવાર કહ્યું છે તેમ આજે પણ કહેવા દો કે એને લીધે, ને એક એને જ લીધે; મારું જીવન જીવવા જેવું થયું છે - મારી સફરનું સાર્થક્ય થયું છે.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer