પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

જ્યોતિષી અને ફિલસૂફ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

સાગરના વિશાળ તટ પરના મહેલ જેવા મકાનમાં એક ફિલસૂફ રહેતો હતો. ભૂત ને ભાવિને પરિપૂર્ણપણે જાણવાનો દાવો કરનારા એક જ્યોતિષીએ એની મુલાકાત લીધી, ને એને કહ્યું, 'તમારી ઈચ્છા હોય તો હું તમારા વહી ગયેલા ને હવે પછી પ્રકટ થનારા જીવનનો નક્શો દોરી શકું તેમ છું, તમારા ભૂત ને ભાવિ પ્રસંગોનો ચિતાર આપી શકું છું.'

 

ફિલસૂફે કહ્યું, 'તમારી આ જ પદ્ધતિ મને પસંદ નથી પડતી. તમે ભૂત ને ભાવિની આસપાસ ભમ્યા કરો છો, અને આશા ને ચિંતા, હર્ષ ને શોકની સૃષ્ટિ કરો છો, જ્યારે હું વર્તમાનનો લૂંટાય તેટલો રસ લૂંટ્યા કરું છું, અને એમાં જ સંતુષ્ટ રહું છું. એટલે જ કોઈ જ્યોતિષીની મુલાકાત મેં આજ લગી નથી લીધી.'

 

જ્યોતિષીને માટે એ ખુલાસો તદ્દન નવા પ્રકારનો થઈ પડ્યો, અને એ ફિલસૂફને વંદન કરીને શાંતિથી વિદાય થયો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer