પ્રભાતના પુષ્પોની મનભાવન મહેંક એટલે જ

 

 

પરિમલ

 

 આત્માને અલંકૃત કરનારી પ્રેરણાદાયી રચનાઓ

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

દીપકનો પ્રકાશ

     
   
< BACK

પરિમલ

NEXT >
 

શરદની સમી સાંજે મેં એ મહાપુરુષની મુલાકાત લીધી. સરિતાના સુંદર તટ પર એમની પર્ણકુટી હતી. તેમાંથી અગરબત્તીની સુવાસ આવતી હતી.

 

એમની આગળ, અનુરાગની અંજલિ આપતાં મેં ચાર પાંચ પુષ્પો મૂક્યાં, ને પ્રણામ કરીને એમને પૂછ્યું : બહાર બધે અંધારું થવાની તૈયારી છે તો પણ, તમે દીપક કેમ નથી કર્યો ? બહાર તો બધે જ અંધારું થવા આવ્યું છે.

 

એ મહાપુરુષે પ્રેમપૂર્વક પ્રત્યુત્તર આપ્યો : પ્યારા પ્રવાસી, હું આશા રાખતો'તો કે તમે મારી ભાવનાને સમજી શકશો; પરંતુ હવે મારે જ ખુલાસો કરવો જોઈએ. વાત એમ છે કે બહારના કોઈ પ્રકાશ માટે નહિ, પરંતુ અંદરના પ્રકાશને માટે જ સાધના, આરાધના અને મારું એકાંતસેવન છે. એ વાતની સ્મૃતિને સાચવી રાખવા, દીપક ના કરવાનો મેં વરસોથી નિયમ કર્યો છે. અથવા તો એમ કહો કે એ ક્રમ મારે માટે સ્વાભાવિક થયો છે.

 

એ અસાધારણ મહાપુરુષની અસાધારણ વાતથી મને સંતોષ થયો.

શ્રી યોગેશ્વરજી

-------

(શ્રી યોગેશ્વરજી રચિત 'પરિમલ' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer