रावण द्वारा सीताहरण – जटायु ने राम को बताया
तब कह गीध बचन धरि धीरा । सुनहु राम भंजन भव भीरा ॥
नाथ दसानन यह गति कीन्ही । तेहि खल जनकसुता हरि लीन्ही ॥१॥
लै दच्छिन दिसि गयउ गोसाई । बिलपति अति कुररी की नाई ॥
दरस लागी प्रभु राखेंउँ प्राना । चलन चहत अब कृपानिधाना ॥२॥
राम कहा तनु राखहु ताता । मुख मुसकाइ कही तेहिं बाता ॥
जा कर नाम मरत मुख आवा । अधमउ मुकुत होई श्रुति गावा ॥३॥
सो मम लोचन गोचर आगें । राखौं देह नाथ केहि खाँगेँ ॥
जल भरि नयन कहहिँ रघुराई । तात कर्म निज ते गतिं पाई ॥४॥
परहित बस जिन्ह के मन माहीँ । तिन्ह कहुँ जग दुर्लभ कछु नाहीँ ॥
तनु तजि तात जाहु मम धामा । देउँ काह तुम्ह पूरनकामा ॥५॥
(दोहा)
सीता हरन तात जनि कहहु पिता सन जाइ ।
जौँ मैँ राम त कुल सहित कहिहि दसानन आइ ॥ ३१ ॥
જટાયુએ રામને રાવણ દ્વારા સીતાહરણની માહિતી આપી
ગીધે કહ્યું ધરીને ધીર રામ ભવભયભંજનવીર,
દશાનને ગતિ આવી કરી, જનકસુતાને ગયો હરી.
દક્ષિણ તરફ સભય એ ગયો, સીતાવિલાપ મેં ન સહ્યો,
પ્રાણ ટકાવ્યો દર્શનકાજ કૃપાનિધાન જાય છે આજ.
રામ વદ્યા તન રાખો તાત, કહી સ્મિત કરી ત્યારે વાત,
મરતી વખતે જેનું નામ વદી અધમ બનતાં કૃતકામ;
લોચન સમક્ષ પ્રકટ્યા તે, હવે દેહ રાખું શાને ?
નેન ભરી જલ બોલ્યા રામ, પામ્યા ગતિ કર્મે નિષ્કામ.
પરહિત હો જેના મનમાંહ્ય તેને દુર્લભ ના જગ કાંય;
તન તજતાં જાઓ મુજ ધામ, બની ગયા છો પૂરણ કામ.
(દોહરો)
કથશો સીતાહરણની કથા પિતાને ના,
કુળ સાથે એ રાવણ કથશે આવી ત્યાં.