ब्राह्मणो ने भरत को स्वस्तिवचन कहे
जानहुँ रामु कुटिल करि मोही । लोग कहउ गुर साहिब द्रोही ॥
सीता राम चरन रति मोरें । अनुदिन बढ़उ अनुग्रह तोरें ॥१॥
जलदु जनम भरि सुरति बिसारउ । जाचत जलु पबि पाहन डारउ ॥
चातकु रटनि घटें घटि जाई । बढ़े प्रेमु सब भाँति भलाई ॥२॥
कनकहिं बान चढ़इ जिमि दाहें । तिमि प्रियतम पद नेम निबाहें ॥
भरत बचन सुनि माझ त्रिबेनी । भइ मृदु बानि सुमंगल देनी ॥३॥
तात भरत तुम्ह सब बिधि साधू । राम चरन अनुराग अगाधू ॥
बाद गलानि करहु मन माहीं । तुम्ह सम रामहि कोउ प्रिय नाहीं ॥४॥
(दोहा)
तनु पुलकेउ हियँ हरषु सुनि बेनि बचन अनुकूल ।
भरत धन्य कहि धन्य सुर हरषित बरषहिं फूल ॥ २०५ ॥
બ્રાહ્મણો ભરતને સ્વસ્તિવચન કહે છે
જાણે રામ કુટિલ ભલે મુજને ગુરુ સ્વામી દ્રોહી વળી સહુયે,
સીતારામ ચરણરતિ મારી વધે આપના અનુગ્રહે ન્યારી.
મેઘ જીવનભર ભલે વિસરે પાણી માગતાં પથ્થર વરસે,
તોય રટશે ચાતક કેરો પ્રાણ, પ્રેમવૃદ્ધિમાં તેનું કલ્યાણ.
વાધે કનકકાંતિ તપવાથી તેમ નેહનિયમ નભવાથી
વાધે ગૌરવ સેવકકેરું, ત્યાં તો બોલી ત્રિવેણી અનેરું.
તમે ભરત છો સજ્જન સાચ, રામચરણે અનુરાગ અગાધ;
વ્યર્થ ગ્લાનિ કરો નવ લેશ, સૌથી પ્રિય રામને છો હંમેશ.
(દોહરો)
તન પુલકિત હર્ષે થયું સુણી શબ્દ અનુકૂળ;
દેવે ધન્ય ભરત કહી વરસાવ્યાં મધુ ફૂલ.