भारद्वाज मुनि ने भरत को निर्दोष ठहराया
यहउ कहत भल कहिहि न कोऊ । लोकु बेद बुध संमत दोऊ ॥
तात तुम्हार बिमल जसु गाई । पाइहि लोकउ बेदु बड़ाई ॥१॥
लोक बेद संमत सबु कहई । जेहि पितु देइ राजु सो लहई ॥
राउ सत्यब्रत तुम्हहि बोलाई । देत राजु सुखु धरमु बड़ाई ॥२॥
राम गवनु बन अनरथ मूला । जो सुनि सकल बिस्व भइ सूला ॥
सो भावी बस रानि अयानी । करि कुचालि अंतहुँ पछितानी ॥३॥
तहँउँ तुम्हार अलप अपराधू । कहै सो अधम अयान असाधू ॥
करतेहु राजु त तुम्हहि न दोषू । रामहि होत सुनत संतोषू ॥४॥
(दोहा)
अब अति कीन्हेहु भरत भल तुम्हहि उचित मत एहु ।
सकल सुमंगल मूल जग रघुबर चरन सनेहु ॥ २०७ ॥
*
MP3 Audio
*
ભારદ્વાજ મુનિ ભરતને નિર્દોષ બતાવે છે
(દોહરો)
વિદ્વાનોને માન્ય છે લોકવેદ બે જે
વિમળ તમારા યશથકી મહિમા ધરશે તે.
*
લોક વેદસંમત કહે સૌયે, પિતા રાજ્ય દે જેને પામે તે;
રાજા સત્યવ્રત હતા ભારે; તમને બોલાવી તેમણે ત્યારે
દીધું રાજ્ય જો પ્રેમથી હોત ધર્મસુખનો વહેત તો સ્ત્રોત.
રામ વનવાસ અનર્થનું મૂળ, સુણી સૌને થઇ અતિશૂળ;
એય વિધિવશ સાચે જ માનો, પ્રાણ કૈકેયીનો ભ્રાન્ત જાણો
કરી કુચાલ પસ્તાય છે એ; દોષ અલ્પ તોયે તમને દે
એ તો દુર્જન ઘોર અજ્ઞાની, એને અધમાધમ લેવો જાણી.
(દોહરો)
રાજ્ય કરત તોપણ નહીં લાગત તમને દોષ;
રામચંદ્રને થાત એ ઘટનાથી સંતોષ.
ભલું કર્યું અતિ ભરત હે, ઉચિત ખરેખર એ જ,
સકલ સુમંગલ મૂળ છે રામચરણનો સ્નેહ.