Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કહે છે કે માનવ આગળ વધ્યો.
અવકાશના આરોહણથી ચંદ્રલોકમાં પહોંચ્યો.
સુસંસ્કૃત બન્યો.

મચ્છરો મટ્યા નથી,
બગાઈઓ એવી ને એવી જ છે,
ખસ ખુજલી ખણખોદનો પાર નથી,
તો પણ કહે છે કે માનવ આગળ વધ્યો.

કથા તો એવીને એવી જ રહે છે.
અભિનય અલગ અલગ, પાત્રો પૃથક્ તો પણ
નાટક તો એવું જ ભજવાય છે.
યુગેયુગે, ક્ષણેક્ષણે સીતાહરણ થાય છે,
રામ વનમાં જાય છે,
સમુદ્ર પર સેતુ બંધાય છે,
રાવણ રણમાં રોળાય છે;
એનું એ રામાયણ રચાય છે.

- શ્રી યોગેશ્વરજી