સાધનાપથ પર આગળ વધવાનો પ્રામાણિક પ્રયત્ન કરતા સાધકોને સ્વાભાવિક રીતે મુંઝવણો સતાવે. એવે સમયે એના નિરાકરણ માટે અનુભવી સંતનું માર્ગદર્શન ખુબ જરૂરી બને. વરસો સુધી હિમાલયમાં તપસ્યા કરી સાધનાના પંથને સફળતાથી કાપી સુમેરુ શિખરો સર કરનાર શ્રી યોગેશ્વરજી પાસે ભક્તો પોતાની અનેકવિધ મુંઝવણો અવારનવાર વ્યક્ત કરતા. એમના આવા વાર્તાલાપો કે પ્રશ્નોત્તરીઓ જિજ્ઞાસુઓ માટે આકર્ષક બની રહેતી.
અહીં રજૂ થયેલ પ્રશ્નોત્તરી મુંબઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી તથા ફૂલછાબ જેવા વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થઈ અત્યંત લોકચાહના મેળવી ચુકી છે. પ્રસ્તુત પુસ્તકમાં મૂર્તિપૂજા, બ્રહ્મચર્યનું પાલન, સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કે સમાધિ પ્રાપ્તિનો અકસીર માર્ગ જેવા વિષયોથી માંડીને કુંડલિની, ખેચરી મુદ્રા તથા શાંભવી મુદ્રા જેવા ગહન વિષયોને પણ સાંકળી લેવાયા છે. સાધકો તથા અધ્યાત્મ પથના જિજ્ઞાસુઓને આ પુસ્તક અત્યંત માર્ગદર્શક થઈ પડશે એમાં શંકા નથી. | | |