'પૂજા' ==== માત્ર વીસ વરસની યુવાન વયે મા જગદંબાના દર્શનની ઝંખના પ્રબળ થતાં કોલેજનું શિક્ષણ છોડી શ્રી યોગેશ્વરજીએ હિમાલય તરફ પ્રયાણ કરેલું. ઈ.સ. ૧૯૪૧ પછી ઘણુખરું હિમાલયને તેમણે પોતાની સાધનાભૂમિ બનાવી. કઠિન વ્રત, ઉપવાસ, અને યાત્રા-પ્રવાસોની સમાંતર તેમનું સાહિત્યસર્જન ચાલું રહ્યું. મા જગદંબાના દર્શન માટે એમણે વિરહાતુર બની પાડેલા પોકારો ગીત, ભજન અને પ્રાર્થનાના રૂપમાં ઝીલાતા રહ્યા. વખત જતાં એમાંથી આલાપ, આરતી, પ્રસાદ, સાંઈસંગીત, અંતરનો અનુરાગ જેવા ભજનસંગ્રહો પ્રસિદ્ધ થયા. 'પૂજા' ભજનસંગ્રહમાં પ્રસ્તુત થયેલા ભજનોનો રચનાકાળ ઈ.સ. ૧૯૫૭-૫૮ નો છે. ભાવિક ભક્તજનોને આ સંગ્રહમાં પ્રસ્તુત પદો અચૂક પસંદ આવશે. * E-Book ====== Title : Pooja (પૂજા) Language : Gujarati Version : 1.0 Pages : 88 Created : July 6th 2018. | | |