Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિરહ વધુ વાર નહીં સહેવાય.
હવે નહીં મારાથી રહેવાય.

દાવાગ્નિ દિલનો કોઈથી લેશે ના લેવાય;
પ્રબળ બને છે પ્રતિપળ તે તો, ના કોને કે’વાય. ... વિરહ.

મનના કોડ રહ્યા મનમાં ને તાળુ શેં દેવાય;
તનમનઅંતર ભાવભરેલું તાપે શે ટેવાય ? ... વિરહ.

કૃપાળુ કેમ કઠોર થયા છો, અઘરો છે ન ઉપાય;
કરુણાની વર્ષા વરસો તો મિલન મધુર કહેવાય. ... વિરહ.

(૩-૭-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit